રવઝએ અકદસની ઝિયારતની ફઝીલત

عن ابن عمر عن النبي صلى الله عليه وسلم قال من زار قبري بعد موتي كان كمن زارني في حياتي (المعجم الأوسط، الرقم: ۲۸۷) رواه الطبراني ‏والدارقطني والبيهقي وضعفه كذا في الإتحاف وفي المشكوة برواية البيهقي في الشعب بلفظ : من حج فزار قبري بعد موتي كان كمن زارني في ‏حياتي واستدل به الموفق في المغني على استحباب الزيارة (فضائلِ حج صـ ۱۸٤)‏‏‏

હઝરત અબ્દુલ્લાહ બિન ઉમર (રદિ.)થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુઃ જે માણસ મારી વફાત બાદ મારી કબરની ઝિયારત કરે, તે એવા માણસ જેવો છે જાણેકે તેણે મારા જીવનમાં મારી ઝિયારત કરી.

રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની ખુશી

ઈમામ તબરાની (રહ.) એ પોતાની દુઆની કિતાબમાં બયાન કર્યુ છે કે તેવણને એક વખત સપનામાં નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની ઝિયારતનો શરફ હાસિલ થયો. નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની હાલત  હુબહુ તેવીજ હતી જે અહાદીષે મુબારકામાં વર્ણન કરવામાં આવી છે. ઈમામ તબરાની (રહ.) આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ને સલામ કર્યુ અને કહ્યુઃ હે અલ્લાહ તઆલાનાં રસૂલ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ! અલ્લાહ તઆલાએ મારા દિલમાં અમુક કલિમાતને નાંખ્યા છે, શું હું તેને આપની સામે અરજ કરૂં? નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ફરમાવ્યુઃ તે કલિમાત શું છે? ઈમામ તબરાની (રહ.) જવાબ આપ્યોઃ

اَللّٰهُمَّ لَكَ الْحَمْدُ بِعَدَدِ مَنْ حَمِدَكَ وَلَكَ الْحَمْدُ بِعَدَدِ مَنْ لَمْ يَحْمَدْكَ وَلَكَ الْحَمْدُ كَمَا ‏تُحِبُّ أَنْ تُحْمَدَ اَللّٰهُمَّ صَلِّ عَلٰى مُحَمَّدٍ بِعَدَدِ مَنْ صَلَٰى عَلَيْهِ وَصَلِّ عَلٰى مُحَمَّدٍ بِعَدَدِ ‏مَنْ لَمْ يُصَلِّ عَلَيْهِ وَصَلِّ عَلٰى مُحَمَّدٍ كَمَا تُحِبُّ أَنْ يُصَلّٰى عَلَيْهِ

“હે અલ્લાહ ! આપનાં માટેજ પ્રશંસા છે તે લોકોની સંખ્યાનાં બકદર જેઓએ આપની તારીફ કરી અને આપનાં માટેજ પ્રશંસા છે તે લોકોની સંખ્યાનાં બકદર જેઓએ આપની પ્રશંસા નથી કરી અને આપનાં માટેજ પ્રશંસા છે જેવી રીતે તમો પોતાની પ્રશંસા પસંદ ફરમાવો છો. હે અલ્લાહ ! મોહમ્મદ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) પર દુરૂદ મોકલો તે લોકોની સંખ્યાનાં અનુસાર જેઓએ તેમનાં પર દુરૂદ મોકલ્યુ અને મોહમ્મદ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) પર દુરૂદ નાઝિલ ફરમાવ્યુ તે લોકોની સંખ્યાનાં અનુસાર તેમનાં પર દુરૂદ ન મોકલ્યુ અને મોહમ્મદ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) પર દુરૂદ મોકલો જેવી રીતે તમે એમનાં પર દુરૂદ મોકલવાનું પસંદ ફરમાવો છો.”

‍‍‍અલ્લાહ સુબ્હાનહુ વતઆલાની હમ્દો ષના અને દુૃરૂદ શરીફનાં તે શાનદાર કલિમાતને સાંભળીને નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ઘણાં વધારે ખુશ થયા અને એટલા હસ્યા કે સામેનાં દાંત મુબારક દેખાતા થય ગયા અને તેનાં દરમિયાન રોશની નજર આવવા લગી. (અલકવલુલ બદી- પેજ નં-૧૩૦)

દુરૂદ શરીફની બરકતથી મગફિરત

સૂફીયોમાંથી એક બુઝુર્ગ નકલ કરે છે કે મેં એક માણસને કે જેનું નામ મિસતહ હતુ અને તે પોતાની ઝિંદગીમાં દિનની બાબતમાં ઘણો બેપરવાહ અને નિડર હતો(એટલે ગુનાહોની કંઈ પરવાહ નહી કરતો હતો) મરવા પછી સપનાં માં જોયા, મેં એમને પૂછ્યુ કે અલ્લાહ તઆલાએ શું મામલો કર્યો. એમણે કહ્યુ અલ્લાહ તઆલાએ મારી મગફિરત ફરમાવી દીઘી. મેં પૂછ્યુ કે આ કયા અમલ(કાર્ય)નાં કારણે થયુ તેમણે કહ્યુ કે હું એક મુહદ્દિષ ની ખિદમત(સેવા)માં હદીષ નકલ કરી રહ્યો હતો, ઉસ્તાદે(શિક્ષકે) દુરૂદ શરીફ પઢ્યુ મેં પણ એમની સાથે ઉંચા અવાજે દુરૂદ શરીફ પઢ્યુ. મારો અવાજ સાંભળી બઘા મજલિસ(સભા) વાળાએ દુરૂદ શરીફ પઢ્યુ. અલ્લાહ તઆલાએ તે સમયે આખી મજલિસ(સભા) વાળાની મગફિરત(ક્ષમા) કરી દીધી. (અલ કવલુલ બદીઅ)

يَا رَبِّ صَلِّ وَسَلِّم دَائِمًا أَبَدًا عَلَى حَبِيبِكَ خَيرِ الخَلْقِ كُلِّهِمِ

Source:

Check Also

નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની શફાઅતની પ્રાપ્તી

“જે માણસે મારી કબરબી ઝિયારત કરી, તેનાં માટે મારી શફાઅત જરૂરી થઈ ગઈ.”...